Pages

Monday 30 July 2012

   


  


આજનો યુગ એ શિક્ષણનો યુગ છે.જ્ઞાનની ક્ષીતીજો એટલી વિસ્તરતી જાય છે કે નવી-નવી ટેક્નોલોજી  અને  જ્ઞાનનો  સમન્વય  દુર-દુર  સુઘી  ૫થરાયેલો  જોવા  મળે  છે. અત્યારે ૫રં૫રાગત રૂઢીગસ્ત માન્યાતો અને રિવાજો છોડી માનવી જ્ઞાનની કેડી ઉ૫ર પોતાનુ પગ હરણકાળની જેમ આગળ ધપાવી રહયો છે.આજે શિક્ષણનો અને ટેક્નોલોજીનો માનવીના જીવન ઉપર વધારે મહત્વ જોવા મળે છે. 
શિક્ષણ  માટે અતયારે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એક અભિયાન ચાલે છે સૌ ભણે સૌ આગળ  વધે  એટલે કે  સમાજમા દરેક કુટુંબમા અભણ ના હોય અને તેણે શિક્ષણ પુરુ પડે તે માટેના અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે.એસ.એસ.એ.એમ ધ્વારા જીવનની સફળે પણ શિક્ષણની સફળે એવુ પણ કહી શકાય આ કાર્યને સિધ્ધ કરવા માટે એસ.એસ.એ.એમ ધ્વારા બી.આર.સી.ભવનનુ એક પ્રોજેક્ટ અંતર્ગત સમાવેશ કરવામા આવ્યો છે.બી.આર.સી.ભવનનુ સંચાલન કરનાર બી.આર.સી કો.ઓડિનેટર હોય છે. તેમની નીચે સી.આર.સી જે શિક્ષણની સાથે રહીને ચાલે છે એટલે કે જેઓ પ્રથમિક શિક્ષક હોય એમને સી.આર.સી તરીકે નિમણુક કરવામા આવી છે.બી.આર.સી.ભવનમા એમ.આઈ.એસ..કો.ઓડિનેટર,બી.આર.પી.,આર.પી તેમજ આર.ટી. હોય છે.જેઓ આ અભિયાનમા બી.આર.સી ભવનમા રહીને પોતાની કામગીરી કરતા હોય છે. બધા જ બાળકોને ફરજીયાત અને મફત શિક્ષણ મળે એ માટે  એસ.એસ.એ.એમ ધ્વારા આવા બાળકો જેઓ શિક્ષણથી વંચીત ન રહી જાય અને તેમને પુરતુ શિક્ષણ મળી રહે એવી ખેવના જંખે છે.જીવનમા કેટલીય મુશકેલીઓ આવે પણ આપણે તેમા હંમેશા જજુમતા રહીએ તો જ આપણને સફળતા મળી રહે છે. કહેવાય છે કે............
                              
ઉચી નીચી ફળ્યા કેરે, જીવનની ધટમાળ,
                              ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ



બી.આર.સી કો.ઓંડીનેટર 
ભૂપેશભાઈ જે.ગોસ્વામી